- નવી દિલ્હી ખાતે ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- આ ઉત્સવ વર્ષભર ચાલશે આ ઉજવણીના ભાગ રૂપે મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક માટે એક લોગો પણ બહાર પાડવામાં આવ્યો.
- 12 ફેબ્રુઆરી 1824ના રોજ જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતી એક સમાજ સુધારક હતા જેમણે તે સમય દરમિયાન પ્રવર્તતી સામાજિક અસમાનતાઓનો સામનો કરવા વર્ષ 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી.
- આર્ય સમાજે સામાજિક સુધારણા અને શિક્ષણ પર ભાર મૂકીને દેશના સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
- ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે આર્ય સમાજ તેનું 150મું વર્ષ ઉજવશે.