- કેરળ સરકાર દ્વારા વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કારોના મોડેલ પર નાગરિક પુરસ્કાર 'કેરળ પુરસ્કારંગલ' ની સ્થાપના કરવામાં આવી હતી.
- આ પુરસ્કાર સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આપવામાં આવે છે.
- આ પુરસ્કારો 'Kerala Jyothi', 'Kerala Prabha' અને 'Kerala Shri' એમ ત્રણ શ્રેણીમાં આપવામાં આવ્યા.
- જેમાં કેરળનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'કેરળ જ્યોતિ' લેખક એમ ટી વાસુદેવન નાયરને એનાયત કરવામાં આવ્યું.
- કેરળ રાજયનું બીજું સર્વોચ્ચ સન્માન 'કેરળ પ્રભા' અભિનેતા મામૂટી, ભૂતપૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર ટી માધવ મેનન અને લેખક ઓમચેરી એનએન પિલ્લઈને સયુંક્ત રીતે આપવામાં આવ્યો.
- કેરળ રાજયનું ત્રીજું સર્વોચ્ચ 'કેરળ શ્રી' પુરસ્કારમ લેખક અને કાર્યકર્તા MP પરમેશ્વરન, જાદુગર ગોપીનાથ મુથુકડ, શિલ્પકાર કનયી કુન્હીરામન, ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર કોચૌસેફ ચિત્તિલપ્પીલી, સંગીતકાર વૈકોમ વિજયલક્ષ્મી અને જીવવિજ્ઞાની સત્યભામા દાસ બીજુને એનાયત કરવામાં આવ્યો.