- આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રની World Meteorological Organization (WMO) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેના મુજબ ક્લાઇમેટ ચેન્જના કારણે ભારતમાં કૃષિ ઉત્પાદન ઘટ્યું છે તેમજ ગરમી અને પૂરનું પ્રમાણ વધ્યું છે.
- આ રિપોર્ટ મુજબ ફક્ત યુરોપમાં જ ગરમીને લીધે એક જ વર્ષમાં 15,700થી વધુ લોકોના મૃત્યું થયા છે.
- આ સિવાય વર્ષ 2022માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનમાં પણ રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે.
- વર્ષ 2022માં ગ્લેશિયર 1.3 મીટર સુધી પીગળી ગયા છે તેમજ ઇતિહાસમાં પ્રથમવાર સ્વિટ્ઝર્લેન્ડના ગ્લેશિયરોમાં ગયા વર્ષે બરફ દેખાયો જ ન હતો.
- યુએન મુજબ આ સદીના અંત સુધીમાં મહાસાગરોનું જળ 20 થી 39 ઇંચ સુધી વધી શકે છે તેમજ વર્ષ 2060 સુધીમાં પૃથ્વી પર તેના ઘાતક પરિણામો આવી શકે છે.