- આ નવી ટ્રેન ભોપાલના રાણી કમળાપતિ રેલવે સ્ટેશનથી નવી દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડશે.
- આ વંદેભારત ટ્રેન ભોપાલથી નવી દિલ્હી વચ્ચેનું કુલ 701 કિલોમીટરનું અંતર સાડા સાત કલાકમાં કાપશે, અને શનિવાર સિવાય અઠવાડિયાનાં છ દિવસ દોડશે. તેમાં દરેક ડબ્બામાં સીસી ટીવી કેમેરા પણ છે અને સામેથી ટ્રેન સાથે અથડાતી રોકવાની વ્યવસ્થા કવચ પણ ગોઠવવામાં આવી છે
- સ્વદેશમાં જ વિકસાવાયેલી વંદેભારત ટ્રેનો મુસાફરો માટે અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ છે.