- તેણી શુદ્ધ ગણિતમાં સંશોધન કરવા માટે જાણીતા છે.
- તેણી ગણિતમાં વાસ્તવિક અને જટિલ વિશ્લેષણ, વિશ્લેષણાત્મક ભૂમિતિ, સંખ્યા સિદ્ધાંત, બીજગણિત અને ટોપોલોજી સાથે સંકળાયેલ હતા.
- તેણીએ બોમ્બે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને વર્ષ 1962માં BA (ગણિત) અને વર્ષ 1964માં MA (ગણિત) ની ડીગ્રીઓ પ્રથમ ક્રમ સાથે મેળવી અને ચાન્સેલરનો સુવર્ણ ચંદ્રક પણ જીત્યો.
- વર્ષ 1964 થી 1966 સુધી નારલિકરે Tata Institute of Fundamental Research, મુંબઈની સ્કૂલ ઓફ મેથેમેટિક્સમાં રિસર્ચ સ્ટુડન્ટ અને રિસર્ચ એસોસિયેટ તરીકે કામ કર્યું.
- વર્ષ 1967 થી 1969 સુધી તેણીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ શાળામાં અને વર્ષ 1974 થી 1980 સુધી તેણીએ ફરીથી Tata Institute of Fundamental Research (TIFR)ની ગણિતની શાળામાં કામ કર્યું હતું.
- તેણીએ વર્ષ 1989 થી 2002 દરમિયાન પુણે યુનિવર્સિટીમાં ગણિત વિભાગમાં અને વર્ષ 2006 થી 2010 સુધી ભાસ્કરાચાર્ય પ્રતિષ્ઠાનના ફરજ બજાવી.
- તેઓએ ગણિત પર ઘણા વિદ્વાનોના સંશોધન પત્રો લખ્યા અને આ વિષય પર બે પુસ્તકો પણ લખ્યા હતા.