ગુજરાતના વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી.

  • આ ઉજવણી વલસાડ જિલ્લાના ધમડાચી ખાતે કરવામાં આવી હતી. 
  • વલસાડ એ ભૂમિ છે, જેણે ઇરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા અને આ પારસીઓએ આઝાદીની લડતમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. 
  • આ ઉજવણી બાદ મુખ્યમંત્રી દ્વારા ડાંગ જિલ્લાના 279 ગામોમાં સર્ફેસ સોર્સ આધારીત પાણી પૂરવઠા માટેની 866 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરવામાં આવી.
  • ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસ પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી 10મી વખત ધ્વજારોહણ કરવામાં આવ્યું.
  • ભારતના આઝાદી પર્વના મુખ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને કેબિનેટના પ્રધાનો સહિત અનેક ગણમાન્ય હસ્તિ ઉપરાંત 3 હજાર ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું જેમાં સેન્ટ્રલ વિસ્ટા, નવી સંસદનું નિર્માણ કરનારા મજૂરો સહિત ભારત-ચીન સરહદના વાઈબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટના 622 સરપંચ, પીએમ કિસાન યોજનાના કેટલાક લાભાર્થી અને નર્સ, માછીમારો અને ખાદી વર્કરને આમંત્રણ આપવામાં આવ્યું.
ગુજરાતના વલસાડ જિલ્લામાં 77મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી.

Post a Comment

Previous Post Next Post