ભારતના સૌથી પ્રખ્યાત અંગ્રેજી કવિઓમાંના એક જયંત મહાપાત્રાનું 95 વર્ષની વયે નિધન.

  • તેઓનો જન્મ 22 ઓક્ટોબર 1928ના રોજ કટક, ઓડિશા, ભારતમાં થયો હતો.
  • તેઓ ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા ત્યારબાદ તેઓએ  અંગ્રેજી કવિતા લખવાનું શરૂ કર્યું હતું. 
  • વર્ષ 1971માં તેમના પ્રથમ સંગ્રહ ‘સ્વયંવરા અને અન્ય કવિતાઓ’ના પ્રકાશન કરવામાં આવ્યું હતું.
  • તેમની કવિતાઓ 'ક્લોઝ ધ સ્કાય ટેન બાય ટેન'એ તેમને લેખકોની ટોચની લીગમાં સ્થાન ધરાવે છે.
  • તેઓને વર્ષ 1981માં તેમના કવિતા પુસ્તક 'સંબંધો' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.  
  • તેઓ સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતનાર પ્રથમ અંગ્રેજી ભાષાના લેખક બન્યા હતા. 
  • તેમને શિકાગોના પોએટ્રી મેગેઝિન દ્વારા 'જેકબ ગ્લેટસ્ટીન મેમોરિયલ પ્રાઈઝ', ધી સેવાની રિવ્યુ તરફથી વર્ષ 2009 માટે 'એલન ટેટ પોએટ્રી પુરસ્કાર', વર્ષ 2009 માટે સાર્ક સાહિત્ય પુરસ્કાર અને ટાટા લિટરેચર લાઈફ ટાઈમ અચીવમેન્ટ જેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
  • વર્ષ 2009માં તેમને ભારત સરકારના પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા અને 2 મે 2009ના રોજ તેમને રેવેનશો યુનિવર્સિટી દ્વારા તેમને સમર્પિત માનદ ડોક્ટરેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. 
  • તેમને વર્ષ 2006માં ઉત્કલ યુનિવર્સિટી, ઓડિશા દ્વારા ડી.લિટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી.  
  • તેઓ મે 2019માં સાહિત્ય અકાદમીના ફેલો બનેલા પ્રથમ ભારતીય અંગ્રેજી કવિ બન્યા.
Indian English poet Jayanta Mahapatra passes away

Post a Comment

Previous Post Next Post