કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઉજ્જવલા યોજનાના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી.

  • ભારત સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના ત્રીજા તબક્કાનું અનાવરણ કરવામાં આવ્યું.
  • આ પહેલનો મૂળ ઉદ્દેશ 7.5 મિલિયન ગરીબ પરિવારોને ત્રણ વર્ષ માટે મફત ગેસ કનેક્શન, સ્ટોવ અને રિફિલ સાથે આપવાનો અને વિસ્તરણનો 103.5 મિલિયન પરિવારો સુધી પ્રોગ્રામના કુલ કવરેજને વધારવાનો છે. 
  • Pradhan Mantri Ujjwala Yojana (PMUY) ના નવીનતમ તબક્કા હેઠળ લાભાર્થીઓને ડિપોઝિટ ફ્રી ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં સ્ટોવ અને 14.2 કિગ્રા સિલિન્ડરનો સમાવેશ થાય છે. 
  • PMUYની શરૂઆત 1 મે, 2016 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેને ઉજ્જવલા 1.0 તરીકે ઓળખવામાં આવે છે,
  • તેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં લગભગ 80 મિલિયન વંચિત પરિવારોને સ્વચ્છ રસોઈ ઇંધણ પ્રદાન કરવાનો હતો. 
  • ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2019માં આ લક્ષ્યાંક પૂરો થયો હતો. ત્યારબાદ PMUY ફેઝ-2 અથવા ઉજ્જવલા 2.0, ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી ઓગસ્ટ 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં 10 મિલિયન વધારાના જોડાણનો પ્રારંભિક લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. જે લક્ષ્યાંક જાન્યુઆરી 2022 સુધીમાં હાંસલ કરવામાં આવ્યો હતો.
Extension of Ujjwala scheme approved by Union Cabinet.

Post a Comment

Previous Post Next Post