સંસદનું વિશેષ સત્ર નવા સંસદ ભવનમાં શરૂ કરવામાં આવ્યું.

  • આ સત્રના પ્રથમ દિવસે જ જૂના સંસદ ભવનનું નામ બદલીને ‘સંવિધાન સદન’ કરવામાં આવ્યું.
  • જૂના સંસદ ભવનનો શિલાન્યાસ 12 ફેબ્રુઆરી 1921ના રોજ કરવામાં આવ્યો હતો.
  • તેને બ્રિટિશ આર્કિટેક્ટ્સ સર એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરાયેલ અને તેનું કામ વર્ષ 1927માં પૂર્ણ થયેલ.
  • ભારતનું નવું સંસદ ભવન ત્રિકોણ આકારમાં બનાવવામાં આવ્યું છે. 
  • આ ભવન 64,500 ચોરસ મીટરના વિસ્તારમાં પથરાયેલું છે અને ચાર માળ ધરાવે છે. 
  • નવા સંસદ ભવનમાં જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર એમ કુલ ત્રણ મુખ્ય દરવાજા છે. 
  • આ ભવનમાં VIP, સાંસદો અને મુલાકાતીઓ માટે અલગ પ્રવેશદ્વાર બનાવાવમાં આવ્યા છે. 
  • આ ભવનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભીમરાવ આંબેડકર અને ચાણક્યની ગ્રેનાઈટની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
  • નવા સંસદ ભવનની સૌથી આકર્ષક વિશેષતા તેનું બંધારણ હોલ છે, જે ભવનના મધ્યમાં સ્થિત છે. તેના પર અશોક સ્તંભ લગાવવામાં આવ્યો છે, આ હોલમાં બંધારણની કોપી રાખવામાં આવશે.
  • નવા સંસદ ભવનમાં દેશમાં પૂજાતા પ્રાણીઓ જેમાં ગરુડ, ગજ, અશ્વ અને મગર વગેરેની મૂર્તિઓ મૂકવામાં આવી છે. 
  • આમાં ત્રણ ગેલેરી હશે જે ભારતના ઐતિહાસિકથી આધુનિક યુગમાં યાત્રા કરાવશે.
  • નવા સંસદ ભવનની ઇન્ટિરિયર થીમ તરીકે કમળ, મોર અને વડનું વૃક્ષ ત્રણ રાષ્ટ્રીય પ્રતીકો છે. 
  • નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું છે. 
  • આ સાથે જ એમ.કે.ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને દેશના મહાન વડાપ્રધાનોની મોટી તસવીર પણ મૂકવામાં આવી છે.
  • સંસદ ભવનના લોકસભા ચેમ્બરમાં 888 અને રાજ્યસભા ચેમ્બરમાં 300 સભ્યો આરામથી બેસી શકશે. 
  • બંને ગૃહોની સંયુક્ત બેઠકના કિસ્સામાં લોકસભા ચેમ્બરમાં કુલ 1,280 સભ્યો બેસી શકશે. જૂના સંસદ ભવનમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 240 સભ્યોની વ્યવસ્થા હતી.
  • નવું સંસદ ભવન ભારતના લોકશાહીના ઇતિહાસને ઉજાગર કરવા માટે નવા બિલ્ડીંગમાં ભવ્ય બંધારણ હોલ, સંસદ સભ્યો માટે એક લાઉન્જ, લાયબ્રેરી, ડાઇનિંગ હોલ અને પાર્કિંગની જગ્યા પણ છે.
Indian MPs move to new building building as gov’t holds special session

Post a Comment

Previous Post Next Post