- Directorate General of Foreign Trade (DGFT) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર આ નિકાસ National Cooperative Exports Limited (NCEL) દ્વારા કરવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા સ્થાનિક પુરવઠો વધારવા માટે 20 જુલાઈથી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
- હાલમાં સરકાર દ્વારા કેટલાક દેશોમાં તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બિન-બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપવામાં આવી છે જેમાં Nepal, Cameroon, Cote d’ Ivore, Republic of Guinea, Malaysia, Philippines અને Seychelles નો સમાવેશ થાય છે.
- આ નોટિફિકેશન મુજબ નેપાળને 95,000 ટન, કેમરૂનને 1,90,000 ટન, કોટ ડી'આવિયરને 1,42,000 ટન, ગિનીને 1,42,000 ટન, 1,70,000 ટન, મલેશિયાને 1,70,000 ટન, ફિલિપને 95,000 ટન, સેશેલ્સમાં 800 ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવશે.