- ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શાકાહારી જીવનશૈલીના અગ્રણી હિમાયતી સાધુ ટીએલ વાસવાણીની જન્મ જયંતિના સન્માન માટે 25 નવેમ્બરને 'No non-veg day' તરીકે જાહેર કરવામાં આવ્યો.
- આ નિર્ણય અનુસંધાને તે દિવસે રાજ્યમાં તમામ કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ રહેશે.
- સાધુ થનવરદાસ લીલારામ વાસવાણી એક શિક્ષણશાસ્ત્રી હતા, તેમણે ‘મીરા ચળવળ' ની શરૂઆત કરી હતી, તેમનો જન્મ હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં)માં એક સિંધી પરિવારમાં થયો હતો.
- તેઓ શાકાહારના હિમાયતી હતા ઉપરાંત તેઓએ દેશમાં મહિલાઓના શિક્ષણ અને મુક્તિ માટે સક્રિયપણે અવાજ ઉઠાવ્યો હતો.