કેન્દ્ર સરકાર દ્વારા અર્થશાસ્ત્રી મનોજ પાંડાને 16માં નાણાં પંચના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • Artha Global ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિરંજન રાજાધ્યક્ષે કમિશનમાં જોડાવાની અસમર્થતા દર્શાવ્યા બાદ પાંડાની નિમણૂક કરવામાં આવી છે.
  • Institute of Economic Growth ના ભૂતપૂર્વ ડિરેક્ટર મનોજ પાંડાને 16મા નાણાપંચ (16th Finance Commission) ના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • તેઓ ચાર્જ સંભાળ્યાની તારીખથી રિપોર્ટ સબમિટ થાય ત્યાં સુધી અથવા 31 ઓક્ટોબર, 2025 સુધી (જે પહેલા હોય તે) આ પદ સંભાળશે.
  • અરવિંદ પનાગરિયાના નેતૃત્વ હેઠળના 16મા નાણાં પંચમાં 4 સભ્યો છે તેમાં ભૂતપૂર્વ ખર્ચ સચિવ અજય નારાયણ ઝા અને નિવૃત્ત અમલદાર એની જ્યોર્જ મેથ્યુનો કમિશનના પૂર્ણ-સમયના સભ્યો તરીકે સમાવેશ થાય છે, જ્યારે સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) ગ્રૂપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ પાર્ટ-ટાઇમ સભ્ય છે. 
  • નાણાં પંચ એક બંધારણીય સંસ્થા છે, જે કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો અંગે સૂચનો આપે છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા 31મી ડિસેમ્બર, 2023ના રોજ અરવિંદ પનાગરિયાની અધ્યક્ષતામાં 16મા નાણાં પંચની રચના કરવામાં આવી. 
  • કમિશન 31 ઓક્ટોબર, 2025 સુધીમાં તેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કરશે.  નાણાપંચનો આ રિપોર્ટ 1 એપ્રિલ, 2026થી પાંચ વર્ષ માટેનો રહેશે.
  • 16મા નાણાં પંચની પ્રથમ બેઠક 14 ફેબ્રુઆરી, 2024ના રોજ મળી હતી.
Centre appoints Manoj Panda as member of 16th Finance Commission

Post a Comment

Previous Post Next Post