- તેઓએ ઓછો ખર્ચ ધરાવતી 125થી વધુ શાળાઓની સ્થાપના કરી હતી.
- સરકારી નોકરીમાંથી નિવૃતિ બાદ તેઓએ હિમાચલ પ્રદેશમાં સ્થાયી થઇ અકાલ એકેડમીની સ્થાપના કરી હતી.
- શરુઆતમાં એક અસ્થાયી શાળાની સ્થાપના કરી હતી જેમાં ફક્ત 5 વિદ્યાર્થીઓ જ હતા.
- ત્યારબાદ આ એકેડમી હેઠળ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કુલ 125થી વધુ શાળાઓની સ્થાપના કરવામાં આવી જેમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
- 4 દિવસ પહેલા જ 25 જાન્યુઆરીના રોજ ભારત સરકાર દ્વારા તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.